સાત માઇગ્રેશન કાવ્યો, કાવ્ય ૬ : મારી રીધમ-સંહિતા (અછાંદસ) – ઘનશ્યામ ઠક્કર
સાત માઇગ્રેશન કાવ્યો
કાવ્ય ૬ : મારી રીધમ-સંહિતા
અછાંદસ
ઘનશ્યામ ઠક્કર
————————-
આ કવિનાં ‘સાત માઇગ્રેશન કાવ્યો’ (૪૮ થી ૫૪ નંબરનાં કાવ્યો) કલ્પનોથી તો સમૃદ્ધ છે જ, કવિની વૈયક્તિક રચનારીતિમાં અ-પૂર્વતા છે. પણ આ બધાથી અભિન્ન/સ્વરૂપથી અભિન્ન જે ચૈતસિક સામગ્રી છે, કાવ્યના ફોર્મમાં મળતી/ તે સિવાય તેનું પ્રાગટ્ય શક્ય નથી. કહો કે Formal Content તે કાવ્યના રસિક અભ્યાસીઓના ઊંડા અધ્યયનનો અભ્યાસ બની રહો.
એક દેશકાલ સંસ્કૃ.તિમાં જન્મી ઉછરેલા સંવેદનશીલ મનુષ્યના ‘દેશાન્તરની તૈયારી (કાવ્યઃ૪૮નું શીર્ષક)થી ‘મૌન’ (કાવ્યઃ૫૪નું શીર્ષક) સુધીના અનેકાનેક સંવેદનો અહીં વ્યક્ત થયા છે. બીજા દેશમાં સ્થિર થયેલા કવિની ધ્યાનપૂર્વકના નિરીક્ષણની સામગ્રી તો અંતે ‘મૌન’ બની રહે છે.
લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે‘ પ્રવેશક
———————————-