એક લગ્નનો મરસિયો (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar
ગીત |
ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)
Ghanshyam Thakkar Oasis Thacker |
સંપાદકઃ ઘનશ્યામ ઠક્કર. સ્વરચિત કાવ્યો, ગઝલ, સંગીત , ગદ્ય, અન્ય કલા, અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ
ગીત |
ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)
Ghanshyam Thakkar Oasis Thacker |
ગીત |
ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)
|
—————————————————————————————————————————————–
Ghanshyam Thakkar
Oasis Thacker Publication
આ ગીત મેં ૧૯૭૦ની આસપાસ લખ્યું હતું. ૧૯૮૫માં મારા કાવ્યસંગ્રહ ભૂરી શાહીના કૂવા કાંઠે માટે શ્રી ઉમાશંકર જોશીએ પસંદ કર્યું હતું અને તેમાં છપાયું હતું. ગીત લખ્યું ત્યારે જ તેના સૂર મનમાં રમતા હતા. ૧૯૯૫માં તેને સંગીતબધ્ધ કરી સિન્થેસાઇઝર પર આખી ઓરક્રેસ્ટ્રાનું સર્જન થયું ૧૯૯૭માં મારા સંગીત આલબમ આસોપાલવની ડાળે માં સમાવેશ કર્યો ત્યારે સંગીતરચનામાં થોડા ફેરફાર કર્યા.ફિલ્મોમાં ગાઈ ચુકેલ જયશ્રી ભોજવિયાએ એમના મધુર સ્વરમાં ગાયું. રેકૉર્ડિંગ પૂરું થયા પછી જયશ્રીબહેને ભાવાવેશમાં આવી કહ્યું કે આ તેમનું સૌથી પ્રિય ગીત છે.
ત્રણેક અઠવાડિયા પહેલાં એનું વાદ્યસંગીત તૈયાર ક્રર્યું અને રેકોર્ડ કર્યું
શરણાઈ (સિન્થ)ના સૂરો સાથે
વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા, આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા
પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,
આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા
મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,
ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો
હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
===============
ધોળકા પાસે સાત નદીઓના સંગમ પર વૌઠાનો મેળો દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાય છે. મારા જન્મસ્થળ દેથલીથી નજીક. ખેડા જીલાના ખેડૂતો માટે વેકેશનની જગા. હું ચાર વરસનો થયો ત્યારથી ઘણી વાર આ મેળામાં ગયાનું યાદ છે. કાર્તિકી રાતની કડકડતી ઠંડીમાં બળદગાડાં જોડાતાં. ગાડાંની વણઝાર! અમે બાળકો રજાઈ-ધાબળામાં ગોટમોટ થઈ જતા. બાળકો અને યુવાનો માટે આ સૌથી મોટો ઉત્સવ હતો. ચગડોળ, મિઠાઈ, ભજિયાંની દુકાનો, કાગળનાં ગોગલ્સ અને અન્ય રમકડાં, છેલછબિલાઓ અને છેલછ્બિલીઓના ઑરતા. ત્રણ-ચાર દિવસ માટે પૂનમના અજવાળે ચમકતી નદીની રેત આનંદોત્સવનું સ્વર્ગ બની જતી.
કહેવાની જરૂર નથી કે ૧૯૯૭માં આસોપાલવની ડાળે આલબમ માટે ‘પોરી પૈદે તું રૂપની પ્યાલી લખ્યું અને સંગીતબધ્ધ કર્યું, ત્યારે વૌઠાના મેળાનાં આ સ્મૃતિ-દ્રષ્યો આંખમાં તરવરતાં હતાં
You must be logged in to post a comment.